ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને શું મળ્યું?

ગ્રામીણ ક્ષેત્રની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કર્યું. જેમાં અપેક્ષા મુજબ જ ખેડૂતો અને કૃષિલક્ષી બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

નાણાપ્રધાન અરુણ જેટલીએ તેમના ભાષણની શરૂઆત અનેક કૃષિલક્ષી જાહેરાતો સાથે કરી હતી.

line

ગ્રામીણ અર્થવ્યવસ્થા માટેની જોગવાઈઓ

બજેટ રજૂ કરી રહેલા નાણાપ્રધાન જેટલીની તસવીર

ઇમેજ સ્રોત, LOK SABHA TV

- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય

- ઓછી પડતર કિંમતે વધુ પાક મેળવવા પર ભાર. ઉપરાંત ખેડૂતોને તેમની ઉપજની વળતર અપાવવા પર ભાર.

- પાકની પડતર કિંમત પર દોઢ ગણી રકમ વધુ મળે તેની ઉપર ભાર મૂકાશે.

- રૂ. 2000 કરોડના ખર્ચે કૃષિ બજાર ઊભું કરાશે

શેરડીના ખેડૂતની તસવીર. પ્રતીકાત્મક ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images

- એગ્રિકલ્ચર પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 1400 કરોડની જોગવાઈ

- રૂ. 500 કરોડના ખર્ચે 'ઓપરેશન ગ્રીન' હાથ ધરાશે.

- 42 મેગા ફૂડ પાર્કની સ્થાપનાની જાહેરાત

- લઘુ અને સીમાંત ખેડૂતો માટે ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ બજારો વિકસાવાશે.

- 22 હજાર ગ્રામીણ હાટોને કૃષિ બજારનું સ્વરૂપ અપાશે.

- દેશમાં કૃષિ ઉત્પાદન રેકોર્ડ સ્તર પર થઈ રહ્યું હોવાનો દાવો.

કૃષિ ઉત્પાદકની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

- ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવો દોઢ ગણા કરવામાં આવ્યા.

- માછીમારો અને પશુપાલકોને પણ ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

- કૃષિ બજારોના વિકાસ માટે રૂ. 2000 કરોડ ફાળવવામાં આવશે.

- ઑર્ગેનિક કૃષિને પ્રોત્સાહન આપવામાં આવશે. જૈવિક કૃષિમાં મહિલા સમૂહો પણ જોડાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે.

- મત્સ્ય પાલન તથા પશુપાલન વ્યવસાય માટે રૂ. એક હજાર કરોડ ફાળવીને ગ્રામીણ ક્ષેત્રોની જનતાની આવક વધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

- 'સૌભાગ્ય યોજના' હેઠળ ચાર કરોડ ગરીબ પરિવારોને મફતમાં વીજળી પૂરી પાડવામાં આવશે.

ખેતી ક્ષેત્રે કામ કરતી મહિલા ખેડૂતોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

- વર્ષ 2022 સુધીમાં દરેક ગરીબ પાસે ઘરનું ઘર હશે.

- ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ. 14.34 લાખ કરોડ ફાળવવામાં આવશે.

- 'ઉજ્જવલા યોજના' હેઠળ આઠ કરોડ ગરીબ મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન આપવામાં આવશે.

- કૃષિ પેદાશોની નિકાસને 100 અબજ ડોલરના સ્તર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક

- 10 કરોડ ગરીબ પરિવારોને રૂ. પાંચ લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે.

દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વિકાસ અટકી ગયો છે. જેને દૂર કરવાનો સરકાર સામે સૌથી મોટો પડકાર છે.

એટલે જ નાણાપ્રધાન જેટલીએ ગામડાઓ અને બેરોજગારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોવાનું જણાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો