કોરોના વાઇરસ : ગુજરાતમાં જુલાઈ-ઑગસ્ટમાં સંક્રમણનો ખતરો વધશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
એક તરફ જ્યાં ભારત કોરોનાના કેસોની સંખ્યા બાબતે બ્રિટનને વટાવી વિશ્વનો ચોથા ક્રમનો સૌથી અસરગ્રસ્ત દેશ બની ગયો છે, તો બીજી તરફ ભારત સરકારે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં આવનારા સમયમાં કોરોનાની પરિસ્થિતિ વધુ વિકટ બનવાનું અનુમાન કર્યું છે.
ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી માહિતીમાં કહેવાયું હતું કે, ‘ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જો વાઇરસની આગેકૂચ આ જ ગતિથી ચાલુ રહી તો જૂન-ઑગસ્ટ સુધીમાં આ રાજ્યોમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટો અને વૅન્ટિલેટરો ખૂટી પડી શકે છે.’
અનુમાન પ્રમાણે આ અછતની શરૂઆત દિલ્હીમાં તો શરૂ પણ થઈ ગઈ છે. દિલ્હીમાં 3 જૂનના રોજ ICU બેડ ખૂટી પડ્યા, તેમજ 12 જૂનના રોજ વૅન્ટિલેટરો ખૂટી પડવાનું અનુમાન છે.
જ્યારે 25 જૂનના રોજ ઑક્સિજનની સુવિધા સાથેના આઇસોલેશન બેડ ખૂટી પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

પથારી અને વૅન્ટિલેટર ખૂટી પડવાની શક્યતા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
નોંધનીય છે કે આ અનુમાન કેન્દ્રીય કૅબિનેટ સેક્રેટરી રાજીવ ગૌબાએ રાજ્યોના ચીફ સેક્રેટરી અને હેલ્થ સેક્રેટરી સાથેની વીડિયો કૉન્ફરન્સ મિટિંગમાં રજૂ કર્યાં હતાં.
જ્યારે મહારાષ્ટ્ર માટે કરાયેલા અનુમાન પ્રમાણે, મહારાષ્ટ્રમાં ICU બેડ 8 ઑગસ્ટના રોજ ખૂટી પડવાનું અનુમાન છે, જ્યારે 27 જુલાઈના રોજ રાજ્યમાં વૅન્ટિલેટર ઘટી પડવાનું અનુમાન છે.
જ્યારે તામિલનાડુમાં ICU બેડ અને વૅન્ટિલેટર 9 જુલાઈ સુધી ખૂટી પડવાનું અનુમાન કરાઈ રહ્યું છે. જ્યારે ઑક્સિજનની સુવિધાવાળા આઇસોલેશન બેડની 21 જુલાઈના રોજ અછત સર્જાવાનું અનુમાન કરાઈ રહ્યું છે.
આવી જ રીતે સમયાંતરે પરંતુ બહુ ઝડપથી ગુજરાતમાં વર્તમાનદરે કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને કારણે ગુજરાતમાં પણ ICU અને વૅન્ટિલેટરની અછત સર્જાવાનું અનુમાન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કેન્દ્રશાસિત પ્રદેશોને પણ ચેતવણી

ઇમેજ સ્રોત, GETTY IMAGES
આ સિવાય અન્ય પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આ મિટિંગ દ્વારા ચેતવણીભર્યા સમાચાર આવ્યા છે.
હરિયાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ માટે પણ આ બેઠકમાં આવનારા દિવસોમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
બેઠકમાં વ્યક્ત કરાયેલી આશંકા પ્રમાણે જો વર્તમાન પરિસ્થિતિ ચાલુ રહે તો મુંબઈ, ગુરુગ્રામ જેવા 17 જિલ્લાઓમાં આવતા માસ સુધી આરોગ્યસેવાઓની અછત સર્જાવાની શક્યતા છે.
નોંધનીય છે કે બેઠકમાં જે રાજ્યો અને શહેરો માટે ચેતવણી જારી કરાઈ છે, તે રાજ્યો અને શહેરોમાં જ દેશના કુલ દર્દીઓ પૈકી 80 ટકા દર્દીઓ છે. તેમજ આ રાજ્યોનો મૃત્યુદર પણ ચિંતાજનક રીતે વધારે છે.
આવી પરિસ્થિતિમાં જો વહીવટીતંત્ર અને સરકાર દ્વારા યોગ્ય સંકલન સાધી કોરોનાને જડમૂળથી ખતમ કરવા માટે યોગ્ય દિશામાં પગલાં નહીં લેવાય તો આ અનુમાનોને હકીકત બનતા વાર નહીં લાગે, તેમાં કોઈ બેમત નથી.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














