અમદાવાદ : એ સ્મશાન જ્યાં લોકો તેમના પાળતું શ્વાનની અંતિમવિધિ કરવા જાય છે
અમદાવાદ : એ સ્મશાન જ્યાં લોકો તેમના પાળતું શ્વાનની અંતિમવિધિ કરવા જાય છે
એક તરફ પાળતું તેમજ રખડતાં શ્વાનોની સંભાળ અને સાર્વજનિક સ્થળોએ તેમના ત્રાસ અંગે ચર્ચા ચાલી રહી છે.
એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પાળતું શ્વાનોના અંતિમસંસ્કાર માટે સ્મશાનગૃહ તૈયાર કર્યું છે. આના માટે રૂ. 30 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
હડકવા ઉપર કાબૂ મેળવવા અને ઍનિમલ બર્થ કંટ્રૉલ હેઠળની જોગવાઈઓનું પાલન કરવા માટે આ ક્રિમેટોરિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
આના વિશે ડૉગ લવર્સ, પાળતુ શ્વાન રાખનાર તથા મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ પદાધિકારીઓ શું કહી રહ્યા છે, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



