'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નામની કલાકારો પર કેવી અસર?

રોશન સિંહ સોઢી અને પત્રકાર પોપટલાલ

ઇમેજ સ્રોત, Manish Shukla

વાંચવાનો સમય: 1 મિનિટ

"કોઈ બાળક જન્મે ત્યારે તેનું નામ રાખવામાં આવે છે. મારી સાથે પણ 2008માં આવું થયું. 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'એ છેલ્લાં દસ વર્ષથી મારી ઓળખ માસ્તર ભીડે તરીકે દુનિયા સમક્ષ ઊભી કરી છે," આ શબ્દો છે મંદાર ચાંદવલકર ઉર્ફે આત્મારામ તુકારામ ભીડેના.

આ નામ સંભળાય એટલે તરત જ યાદ આવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલની. એ સાથે જેઠાલાલ, દયાભાભી, બબીતાજી, ભીડે, સોઢીનું 'ગોકુલધામ' નજર સામે તરવરી ઊઠે.

જુલાઈ, 2008થી શરૂ થયેલી આ સીટકૉમ (પરિસ્થિતિ પર આધારિત કોમેડી) ગુજરાતી લેખક તારક મહેતાની કોલમ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી બનાવવામાં આવી છે.

બીબીસી સાથેની વાતચીતમાં મંદાર, ગુરુચરણસિંઘ અને કવિકુમારે આ સિરિયલ વિશેના અને અંગત જિંદગીના અનુભવ શૅર કર્યા હતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો