You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘સોશિયલ મીડિયાના કારણે હું આત્મહત્યા કરવાની હતી’
છેલ્લા કેટલાક વર્ષોથી સોશિયલ મીડિયા જીવનનો એક એવો ભાગ બની ગયો છે કે જેની સાથે જીવવું અને તેના વગર જીવવું અઘરૂં બની ગયું છે.
સોશિયલ મીડિયાની જીવન પર એવી અસર પણ થવા લાગી છે કે જેના કારણે લોકો અસ્વસ્થતા, તણાવ જેવી ફરિયાદો કરવા લાગ્યા છે.
તેવામાં હવે સવાલ થાય છે કે શું ઑનલાઇન રહેવાથી અસ્વસ્થતાનો શિકાર બની જવાય છે?
નીના નામનાં યુવતી ટીકટૉક નામના સોશિયલ પ્લેટફોર્મ પર ખૂબ સક્રિય છે. તેઓ કહે છે કે સોશિયલ મીડિયાના ઉપયોગથી તેઓ એટલા અસ્વસ્થ થઈ ગયાં હતાં કે એક સમયે તો તેમણે આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી લીધું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો