રાજકોટ : આંસુ, લાચારી અને અનિશ્ચિતતા વચ્ચે જંગલેશ્વરમાં ડિમોલિશન, જુઓ 10 તસવીર

વાંચવાનો સમય: 3 મિનિટ

આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સવારથી જ ડિમોલિશનની કામગીરી શરૂ છે અને અત્યાર સુધીમાં આજી નદી પટ્ટા તથા ટીપી રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત 1060 બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હોવાનું રાજકોટ મહાનગરપાલિકાએ જણાવ્યું છે.

જંગલેશ્વરમાં થઈ રહેલું આ ડિમોલિશન સૌરાષ્ટ્રના ઇતિહાસનું 'સૌથી મોટું ડિમોલિશન' ગણાવાઈ રહ્યું છે.

સરકારના કહેવા પ્રમાણે આ તમામ મકાનો ગેરકાયદેસર છે, જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ દાયકાઓથી અહીં રહે છે અને અહીં રહેવું એ તેમની મજબૂરી છે. લોકોનું કહેવું છે કે તેઓ મોટી સોસાયટીમાં મકાન બાંધીને રહી શકે તેમ નથી, એટલે જ તો તેઓ અહીં રહેતા હતા.

આ 'મેગા ડિમોલિશન'ની કામગીરી તસવીરોમાં જુઓ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન